કેડીટીટીએ ખાતે સ્વીમીગ પુલ પુન:શરૂ કરાયો

આદિપુર, તા.13: અહીના કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આવેલા ‘પાર્વતીદેવી પ્રહલાદભાઈ અગરવાલ (એમ.આર.શાહ ગ્રુપ)’ સ્વીમીંગ પુલ ને નવી સીજન માટે પુન:શરૂ કરવામાં આવ્યું છે. મંગળવારે સ્વીમીગ પુલને ખુલ્લો મુકતા હિંદુ શાસ્ત્રો વિધિ મુજબ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેડીટીટીએના પ્રમુખ તુલસી સુઝાન, ઉપપ્રમુખ ડી. કે. અગ્રવાલ, કારોબારી સભ્યો ભીખુ અગ્રવાલ અને અનીલ ચંદનાની, માનદ મંત્રી મનીષ હિંગોરાણી, સહમંત્રી સુનીલ મેનન, સ્થાપક સભ્યો મહેશ હિગોરાણી, નેહા સંગતાણી, પ્રશાંત બુચ તેમજ મહેમાનો પ્રાચી ગુપ્તા, ભગવાનદાસ ગુપ્તા, કે.સી. અગ્રવાલ, સુનીલ ક્રિપલાની વગેરે હાજર રહ્યા હતા. પૂજા વિધિ શ્રી વેદરૂચી આચાર્ય દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના સમગ્ર સ્ટાફગણ હાજર રહ્યા હતા.

માનદમંત્રીશ્રી મનીષ હિંગોરાણીએ જણાવ્યું હતું કે “કેડીટીટીએ ખાતે રોજ સ્વીમીગની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે જેનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. વધુમાં આ વર્ષે સ્વીમીગ પુલમાં થોડા ફેરફારો કરી નવા રંગરૂપ સાથે ખુલ્લું મુકવામાં આવ્યું છે.”

ઉલ્લેખનીય છે કે કેડીટીટીએ ખાતે સ્વીમીગની સાથે બેડમિંટન, લોન ટેનિસ, ટેબલ ટેનિસ અને સ્કેટીંગની પણ પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે.

Share Now

Related Post

Leave us a reply

X