કેડીટીટીએ ખાતે સ્વીમીગ પુલ પુન:શરૂ કરાયો

કેડીટીટીએ ખાતે સ્વીમીગ પુલ પુન:શરૂ કરાયો

આદિપુર, તા.૨૪ : અહીના કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આવેલા ‘પાર્વતીદેવી પ્રહલાદભાઈ અગરવાલ (એમ.આર.શાહ ગ્રુપ)’ સ્વીમીગ પુલને નવી સીજન માટે પુન:શરૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે સ્વીમીગ પુલને ખુલ્લો મુક્તા હિંદુ શાસ્ત્રો વિધિ મુજબ પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેડીટીટીએના પ્રમુખ તુલસી સુઝાન, કારોબારી સભ્ય ભીખુ અગ્રવાલ, જીએસટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણી, કેડીટીટીએના માનદ મંત્રી મનિષ હિંગોરાણી, સહમંત્રીઓ સુનીલ મેનન અને કમલ આસનાની, કાયમી સભ્યો નેહા સંગતાણી, મહેશ હિગોરાણી તેમજ વેદરૂચી આચાર્ય અને સ્ટાફગણ હાજર રહ્યા હતા.

કેડીટીટીએ ખાતે રોજ સ્વીમીગની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવશે જેનું રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયેલ છે તેમ માનદ મંત્રીશ્રી મનિષ હિંગોરાણીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કેડીટીટીએ ખાતે સ્વીમીગની સાથે બેડમિંટન, લોન ટેનિસ, ટેબલ ટેનિસ અને સ્કેટીંગની પણ પધ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે.

Share Now

Related Post

Leave us a reply

X